2 ઑક્ટો, 2021

*💢🔹ગાંધીજી🔹💢*💠➖પરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરના વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. 💠➖ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રડ હાઈસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો અને શામળદાસ કોલેજ, ભાવનગર ખાતે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીને અભ્યાસ દરમિયાન લંડન અને સાઉથ આફ્રિકામાં ચાલતી રંગભેદની નીતિનો સામનો કરવો પડ્યો હતો. 💠➖9 જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજી ભારત પરત ફર્યા હતા તેની યાદમાં ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 💠➖ઇ.સ.1915 માં ગાંધીજીએ અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ઇ.સ.1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને પોતાની આત્મકથા સત્યના પ્રયોગો લખી. 💠➖ગાંધીજીએ ભારત દેશને સ્વતંત્ર કરાવવા માટે ચંપારણ, ખેડા, બારડોલી અને ધરાસણા જેવા સત્યાગ્રહ તથા ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, અમદાવાદ મિલ મજૂર આંદોલન, દાંડીકૂચ તથા હિન્દ છોડો આંદોલન જેવા સ્વાતંત્ર્ય ચળવળના કાર્ય કર્યા હતા.💠➖30 જાન્યુઆરી, 1948 રોજનથુરામ ગોડસે દ્વારા બિરલા હાઉસ માં ગોળી મારી હત્યા કરી દેવામાંઆવી હતી આ દિવસ ને શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલ છે.

ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધીજીને શત શત નમન.

*🎴♦️આજનો દિવસ મહિમા ♦️🎴**🔸🔹શરી લાલ બહાદુર શાસ્ત્રી🔹🔸*☑️➖ભારતના બીજા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. ☑️➖શરી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના બીજા વડાપ્રધાન તરીકે 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન સેવા આપી હતી. ☑️➖જય જવાન, જય કિસાન'નો નારો આપનાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ઉત્તરપ્રદેશના પરિવહન મંત્રી હતા ત્યારે તેમણે બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાને નિયુક્ત કરીને નવો ચીલો ચાતર્યો હતો. . ને ત્યારબાદ ગૃહ વિભાગના મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જની જગ્યાએ (ફૂલ પ્રેશરથી) પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ☑️➖વર્ષ 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની સમાપ્તિબાદ 11 જાન્યુઆરી, 1966ના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાન્કંદ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી આયુબખાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા.☑️➖આ કરાર તાશ્કેદ કરાર તરીકે ઓળખાય છે. જે જે દિવસે ‘તાશ્કેદ કરાર’ થયા એ જ દિવસે એટલે કે 11 જાન્યુઆરી, 1966ની રાત્રે તાન્કંદ ખાતે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. વર્ષ 1966માં તેમને ‘ભારત રત્ન” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિતે શત શત નમન.