લેબલ હાજી અલારખિયા જન્મદિવસ : 13 DECEMBER સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હાજી અલારખિયા જન્મદિવસ : 13 DECEMBER સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

13 ડિસે, 2022

આજનો દિન વિશેષ : હાજી અલારખિયા જન્મદિવસ : 13 ડિસેમ્બર

                       આજનો દિવસ
            હાજી અલારખિયા જન્મદિવસ 
                   

હાજી મહંમદ અલારખિયા શિવજી એ ગુજરાતી ભાષાના એક સાહિત્યકાર હતા. તેમનો જન્મ 13 ડિસેમ્બર 1879 ના રોજ બ્રિટિશ મુંબઈ થયો હતો. તેઓ પત્રકાર તેમ જ લેખક હતા. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ કોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. ઈ.સ. 1895 થી એમણે અંગ્રેજી, હિંદી, કારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રસિદ્ધ વીસમી સદી ના સંસ્થાપક હતા. આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા. સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે સલીમ ઉપનામથી મોગલ રંગ મહેલ, શીશ મહેલ જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ તથા આત્મવિધા પર લખાયેલી નવલકથા રશીદા પણ લખ્યાં છે. ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
ડો. વિનોદ સત્યપાલ : પ્રોફેસર, અરુણ બાલચંદ વોરા એમ.એડ. કોલેજ, રાધનપુર, ' હિંમત વિદ્યાનગર ' જિ. પાટણ, ઉત્તર ગુજરાત.