• Constitution લેટિન ભાષાનો શબ્દ “Constitute” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે.
• ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 'Regulating Act-1773'. (નિયામક ધારો-1773)
• દેશની દષ્ટિએ વિશ્વનું સૌથી વિસ્તૃત લેખિત બંધારણ છે.
• ખરેખર વિશ્વનું સૌથી લાંબુ બંધારણ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું છે.
• વિશ્વમાં સૌથી નાનું બંધારણ મોનાકો નામના દેશનું છે.
• બંધારણની મૂળ હસ્તપ્રત ચર્મપત્ર પર લખાઈ હતી જેની સાઇઝ 16x22 ઇંચ છે. આ હસ્તપ્રતમાં 251 પાના છે અને તેનું કુલ વજન 3.75 કિલોગ્રામ છે.
• ભારતનું બંધારણ સુપરિવર્તનશીલતા અને દુષપરિવર્તનશીલતાનું મિશ્રણ છે.
• ન્યાયતંત્રના ચુકાદાઓને આધીન કેટલેક અંશે અપરિવર્તનશીલ પણ છે.
• આમ, ભારતનું બંધારણ નમ્ય પણ છે અને કઠોર પણ છે.
• બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણનું આમુખ એક જ વાકયનું બનેલું છે.
• બંધારણની રચના કરવા માટે બંધારણસભાની રચના થઈ હતી.
• બંધારણસભા 389 સભ્યોની બનેલી હતી.
• આઝાદી બાદ બંધારણસભામાં 299 સભ્યો હતા.
• ભારતનાં બંધારણનું આમુખ (પ્રસ્તાવના) સૌથી છેલ્લે લાગુ થયું હતું.
• બંધારણ ઘડતર માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.
• બંધારણ ઘડતર માટે 63, 96, 729 રૂપિયા = 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
• બંધારણ ઘડતર માટે કુલ 11 સત્રો, 166 બેઠકો, 114 દિવસ બંધારણની ચર્ચા થઈ હતી.
• બંધારણ ઘડતર માટે બંધારણસભાનાં સભ્યોએ લગભગ 60 દેશોનાં બંધારણનો અભ્યાસ કર્યો તેથી તેને ‘ઉધાર લીધેલ' બંધારણ પણ કહે છે.
• ભારતનાં બંધારણનાં અનેક દેશી વિદેશી સ્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારત સરકાર અધિનિયમ 1935નો છે.
• બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારેલ મૂળ બંધારણ અંગ્રેજી ભાષામાં હતું.
• 1950માં બંધારણસભાના સભ્યોની સહીવાળા બંધારણનું હિંદી ભાષાંતર પ્રકાશિત કરાયું હતું.
• આમ, ભારતનું મૂળ બંધારણ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં લખાયેલું છે. જે હસ્તલિખિત છે.
• બંધારણ લખવાનું કામ પ્રેમબિહારી નારાયણ રાયજાદા અને બેઓહર રામમનોહર સિંહા નામના વ્યકિતઓએ કરેલું. (અંગ્રેજી ભાષામાં-ઇટાલીક શૈલીમાં)
• હિન્દી ભાષામાં બંધારણ લખવાનું કામ - વસંતકૃષ્ણ વૈદ્ય કર્યુ હતું.
• બંધારણની ડિઝાઇન નંદલાલ બોઝે તૈયાર કરેલી છે.
• આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશનાં બેઓહર રામમનોહર સિન્હાએ તૈયાર કરેલી છે.
• ભારતનું મૂળ બંધારણ સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે.
• બાબાસાહેબ આંબેડકરને 'ભારતીય બંધારણના ઘડવૈયા', 'ભારતીય બંધારણનાં પિતા' તથા ભારતમાં 'સમરસતાના મહાનાયક' તરીકે ઓળખવામાં આવે છે.
• મૂળ બંધારણમાં 22 ભાગ, 8 અનુસૂચિઓ અને 395 અનુચ્છેદ હતા.
• હાલ બંધારણમાં 25 ભાગ, 12 અનુસૂચિઓ અને 462 અનુચ્છેદ છે.
• બંધારણનાં ભાગ-9(B)ને ગુજરાત હાઇકોર્ટે ગેરબંધારણીય ઠરાવ્યો હોવાથી આ બાબત હજુ સુપ્રીમ કોર્ટમાં પડતર
• “ભારતના બંધારણમાં અમુક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય અને અમક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ ન કરી શકાય' :- સર બી. એન. રાવ.
• ડો. બાબાસાહેબ આંબેડકર બંધારણસભામાં બંગાળ પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ વિભાજન પછી તે ક્ષેત્ર પાકિસ્તાન અંતર્ગત જતાં તેઓ ફરીથી મુંબઈ પ્રેસિડન્સીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.
• ભારતના બંધારણના કુલ પાનાની સંખ્યા :- 251
• ભારતની ચૂંટણી વ્યવસ્થામાં 'First Pass The Post' વ્યવસ્થા બ્રિટન દેશમાંથી લેવામાં આવેલ છે.
• ભારતીય બંધારણને 'અર્ધસમવાયી' તરીકે ઓળખાવનાર : કે. સી. વ્હેર
• ભારતના બંધારણમાં કાયદાકીય ભાષાનો ઉપયોગ વધારે થયો હોવાથી તેને 'વકીલોનું સ્વર્ગ' કહેવામાં આવે છે : સર આઇવર જેનિંગ્સ
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો