26 ઑગસ્ટ, 2021

25 ઑગસ્ટ, 2021

મોબાઈલ અને ઈન્ટરનેટ

માનવીની જીંદગી અત્યારે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અનિચ્છિતતાથી ઘેરાયેલી છે. વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો ભયભીત છે. જીંદગી તણાવથી ભરેલી છે. એકપણ વ્યક્તિ એવી નથી આ વિશ્વમાં કે તેનું કોઈ સ્વજન કોરોનાના કારણે મૃત્યુ ના થયું હોય. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સમાજ સેવકો, એન.જી.ઓ વગેરેએ પોતાના જીવનની પરવા કર્યા વગર લોકોની આ કોરોનાની મહામારીમાં નિઃશ્વાર્થ ભાવે સેવા કરતાં જોવા મળ્યા છે. શિક્ષણમાં વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો ઓનલાઇનના માધ્યમથી ભણાવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ ટેક્નોલોજીના જમાનામાં અત્યારે બાળકો મોબાઇલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખી ગયા છે તે કહેવું યોગ્ય છે.21મી સદી એ ટેકનોલોજી, કમ્પ્યુટર, માહિતી અને જ્ઞાનની સદી છે તેવામાં આ કોરોનાની મહામારીમાં ટેક્નોલોજી અને જ્ઞાનનો ભરપૂર લાભ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ લીધો છે તે સારી બાબત કહેવાય.
             વિશ્વ ફલક પર અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ ખૂબજ બોલબાલા છે. મોબાઈલની ખરીદી ઓનલાઇનમાં વધુ પ્રમાણમાં જોવા મળી કારણકે તેના વગર શિક્ષણકાર્ય કરવું મુશ્કેલ હતું. અને અત્યારના જમાનામાં ઈન્ટરનેટ અને મોબાઈલ સર્વવ્યાપી છે  અને મોબાઈલ તો એક ઘરનો સભ્ય બની ગયો છે.
             મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે લોકો પોતાની કારકિર્દી વિશે વિચારતા થયા છે. માનવ પોતાને લગતી તમામ બાબતો youtube, Facebook, Instagram, Twitter, Google, Whatsupp વગેરેમાં શોધતો દેખાય રહ્યો છે. શાળા અને કોલેજોમાં ડિજિટલ લર્નિંગની વાતો થઈ રહી છે. વિશ્વમાં webinars યોજાઈ રહ્યા છે. અલગ અલગ ટોપિક ઉપર ઓનલાઇન ચર્ચાઓ થઈ રહી છે. સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે. વિધાર્થીઓ જ્ઞાન અને માહિતી મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા લઇ રહ્યા છે. ભારત સરકાર પણ ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. મેઇક ઈન ઇન્ડિયાની વાતો થઈ રહી છે. સ્વ નિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે. એક દેશ બીજા દેશ સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ સમય મોબાઈલ અને કમ્પ્યુટરમાં પસાર કરી રહ્યા છે. બિઝનેસ પણ હવે ઓનલાઇન થઈ ગયો છે. જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરેજેવી વેબસાઈટ દ્વારા ઓનલાઇન બિઝનેસ થઈ રહ્યો છે.
                મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ છે. અત્યારે ડિજિટલ યુગ છે અને મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ માટેનું સૌથી પ્રબળ અને સબળ માધ્યમ છે. ઈન્ટરનેટના માધ્યમથી ગમે ત્યારે ગમે તે સ્થળે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યિલ મીડિયા તરફ ખૂબ આગળ વધી રહ્યા છીએ. પોતાની રજૂઆતો, વાતો જ્ઞાન, માહિતી આપણે સોશ્યિલ મીડિયાના માધ્યમથી ખૂબજ સારી રીતે રજૂ કરીએ છીએ. આપણી આ બધી વાતો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ માધ્યમથી કરતાં હોઈએ છીએ. ભારત સરકારની નીતિઓ પણ આ માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય છે.
                શાળા અને કોલેજોમાં ઈ લર્નિંગ રિસોર્સીસ અને સાધનો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. ડિજિટલ લાયબ્રેરીની વ્યવસ્થા શાળા અને કોલેજોમાં થઈ રહી છે. રચનાવાદી અભ્યાસક્રમની રચના થઈ રહી છે. પ્રવૃત્તિલક્ષી કાર્યો થઈ રહ્યા છે. એનિમેશન દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. આ બધું જ ઈન્ટરનેટએ આપણી કારકિર્દી માટે અગત્યના માધ્યમો છે એવું કહી શકીએ.

24 ઑગસ્ટ, 2021

કવિઓના ઉપનામોની યાદી :્દુલઅલી વાસી✍️ મસ્ત કવિ: ત્રિભુવન ભટ્ટ✍️ માય ડિઅર જયુ : જયંતિલાલ રતિલાલ ગોહેલ✍️ મિસ્કીન : રાજેશ વ્યાસ✍️ મીનપિયાસી : દિનકરરાય કેશવલાલ વૈદ્ય✍️ મષિકાર : રસિકલાલ પરીખ✍️ મછાળી માં,વિનોદી : ગિજુભાઈ બધેકા✍️ પજ્ય મોટા : ચુનીલાલ આશારામ ભગત✍️ મનહર દિલદાર : મનહરલાલ રાવળ✍️ મસ્ત ફકીર : હરિપ્રસાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ રતિલાલ 'અનિલ' : રતિલાલ મૂળચંદ રૂપાવાળા✍️ રગલો. : જયંતિ પટેલ✍️ રામ વૃંદાવની : રાજેન્દ્ર શાહ✍️ રસમંજન : રમેશ ચાંપાનેરી✍️ રાજહંસ : પ્રહલાદસિંહ ગોહિલ✍️ રાવણદેવ : મેઘનાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ લલિત : જન્મશંકર મહાશંકર બૂચ✍️ લોકાયતસૂરિ : રઘુવીર ચૌધરી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ વનમાળી : કેશવ હર્ષદ ધ્રુવ✍️ વનમાળી વાંકો : દેવેન્દ્ર ઓઝા✍️ વસંત વિનોદી : ચંદુલાલ દેસાઈ✍️ વિનોદકાન્ત : વિજયરાય વૈદ્ય✍️ વનેચર : હરિનારાયણ આચાર્ય✍️ વાસુકિ,શ્રવણ : ઉમાશંકર જેઠાલાલ જોશી✍️ વિશ્ર્વબંધુ : દિનકર છોટાલાલ દેસાઈ✍️ વિશ્ર્વરથ : જયંતિલાલ દવે✍️ વિશ્ર્વવંદ્ય : છોટાલાલ માસ્તર✍️ વશંપાયન : કરસનદાસ માણેક✍️ વરજમાતરી : વજીરૂદ્દીન સઆઉદ્દીન💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ શયદા : હરજી લવજી દામાણી✍️ 'શૂન્ય' પાલનપુરી : અલીખાન બલોચ✍️ શન્યમ્ : હસમુખભાઈ પટેલ✍️ શિવમ્ સુંદરમ્ : હિંમતલાલ પટેલ✍️ શશિ શિવમ્ : ચંદ્રશંકર ભટ્ટ✍️ શયામસુંદર યાદવ : બચુભાઈ રાવત✍️ શૌનક : અનંતરાય રાવળ✍️ શનિ : કેશવલાલ ત્રિવેદી✍️ શખાદમ : શેખ આદમ આબુવાલા✍️ શાહબાઝ : અનંતરાય ઠક્કર💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ સત્યમ્ : શાંતિલાલ શાહ✍️ સવ્યસાચી : ધિરુભાઈ ઠાકર✍️ સાક્ષર,જયવિજય : યશવંત પંડ્યા✍️ સનેહધન : કુંદનિકા કાપડિયા✍️ સરોદ, ગાફિલ : મનુભાઈ ત્રિવેદી✍️ સારંગ બારોટ : ડાહ્યાલાલ બારોટ✍️ સાગર : જગન્નાથ ત્રિપાઠી✍️ સાહિત્યપ્રિય : ચુનીલાલ શાહ✍️ સાહિત્યયાત્રી : ઝવેરચંદ મેઘાણી✍️ સક્રિત : રામચંદ્ર પટેલ✍️ સકાની : ચંદ્રવદન બૂચ✍️ સહાસી : ચંપકલાલ ગાંધી✍️ સહેની : બળવંતરાય ઠાકોર✍️ સનેહી : અંબુભાઈ પટેલ✍️ સોપાન : મોહનલાલ મહેતા✍️ સકેતુ : રવીન્દ્ર ઠાકોર✍️ સધાંશુ : દામોદર ભટ્ટ✍️ સદરી : જયશંકર ભોજક✍️ સદરમ્ ,કોયા ભગત,ત્રિશૂલ,મરીચિ : ત્રિભુવનદાસ લુહાર✍️ સનેહરશ્મિ : ઝીણાભાઈ દેસાઈ✍️ સવપ્નસ્થ : લક્ષ્મીનારાયણ વ્યાસ✍️ સૌજન્ય : પિતાંબર પટેલ✍️ સવયંભૂ : બટુકભાઈ દલીચા✍️ સવામી આનંદ : હિંમતલાલ રામચંદ્ર દવે✍️ સફ પાલનપુરી : સૈફુદ્દીન ખારાવાલા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ હિમાલય : વિજયકુમાર વાસુ✍️ હરીશ વટાવવાળા : હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ✍️ જઞાનબાલ (ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર) : નરસિંહરાવ દિવેટિયા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ અજ્ઞેય : સચ્ચિદાનંદ વાત્સ્યાયન✍️ અકિંચન : ધનવંત ઓઝા✍️ અઝીઝ : ધનશંકર ત્રિપાઠી✍️ અદલ,મોટાલાલ : અરદેશર ખબરદાર✍️ અનામી : રણજિત પટેલ✍️ અવળવણિયા,યયાતિ :જ્યોતિન્દ્ર દવે✍️ અશક્ય,નામુમકીન : પ્રીતિ સેનગુપ્તા✍️ આખા ભગત : વેણીભાઈ પુરોહિત✍️ આદિલ 'મન્સૂરી' : ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી✍️ આરણ્યક : પ્રાણજીવન પાઠક✍️ આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઈન્દુ : તારક મહેતા✍️ ઈવા ડેવ : પ્રફુલ્લ દવે✍️ ઈર્શાદ : ચિનુ મોદી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઉપવાસી : ભોગીલાલ ગાંધી✍️ ઉપેન્દ્ર : ગૌરીપ્રસાદ ઝાલા✍️ ઉશનસ્ : નટવરલાલ પંડ્યા➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

કવિઓના ઉપનામોની યાદી 

21 ઑગસ્ટ, 2021

દિવસ મહિમા : યુસૈન બોલ્ટ

મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલેના વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. શ્રી યુસૈન બોલ્ટ સતત ત્રણ વખત ઓલમ્પિક 2008,2012 અને 2016માં 100 મીટર અને 200 મીટરનો ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર દોડવીર છે.
              યુસૈન બોલ્ટે વર્ષ 2008ના બેઇજિંગ ઓલમ્પિકમાં વિશ્વ રેકોર્ડ બનાવીને તેની બેવડી સ્પ્રિન્ટ જીત માટે વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઓલમ્પિકમાં કુલ આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. દોડવીર તરીકે તેમની સિદ્ધિઓને કારણે યુસૈન બોલ્ટને ' લાઈટનિંગ બોલ્ટ ' ના ઉપનામથી ઓળખવામાં આવે છે.

માનવતાવાદ ( Humanism )

માનવતાવાદ એ એક એવી વિચારધારા કે દર્શન છે જો માનવમૂલ્યો અને ચિંતન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિ વિકાસનું જો કેન્દ્રબિંદુ હોય તો તે છે માનવ અને માનવનો સર્વાંગીણ વિકાસ તેની ભૌતિક વિકાસ, પ્રગતિની સાથે સાથે તેની નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિ જરૂરી છે. વ્યક્તિ માનવસમૂહનો એક અંશ છે. તેના માટે માનવનું માત્ર પોતાના માટે નહિ પરંતુ સંપૂર્ણ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રૂપમાં માનવ આ ચાર પુરુષાર્થોની ચર્ચા કરવામાં આવી છે. આ ચાર પુરુષાર્થ માનવ જીવનમાં યોગ્ય રીતે સાબિત થાય છે. માનવતાનો મુખ્ય આધાર માનવ છે. પશ્ચિમમાં માનવતાવાદને માનનારામાં પ્રોટાગોરસ, હર્ડર, બુકાનન અને ભારતમાં કબીર, નાનક, બુદ્ધ, મહાવીર, રાજારામ મોહનરાય, રવીન્દ્રનાથ ટાગોર, ગોપાલકૃષ્ણ ગોખલે, અરવિંદ ઘોષ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય માનવતાવાદી વિચારધારાને માનતા હતા. કબીર અને નાનક આધ્યાત્મિક માનવતાવાદી હતા. તેઓ પ્રેમ અને ભાઈચારાના આધાર ઉપર વસુધૈવ કુટુંમ્બક્મમાં વિશ્વાસ રાખતા હતા અને વિશ્વકલ્યાણની વાત કરતા હતા.
           માનવતાવાદી માનવકલ્યાણ માટે કાર્ય કરે છે. " માનવતાવાદી પ્રકાશની એવી નદી છે જો સીમિત થી અસીમિતની તરફ જાય છે. "
- માનવતાવાદ - અર્થ -
   - માનવના ઉચ્ચત્તર મૂલ્યોનો અર્થ એ છે કે સ્વાર્થની ઉપર ઉઠીને બીજાના હિતમાં, બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું. એનો અર્થ એ થયો કે માનવ કોઈ ઉપર ક્રોધ, ઘૃણા ના કરે પરંતુ સંસારમાં રહીને એકબીજા સાથે હળીમળીને રહે અને બીજાની સ્વતંત્રતા ઉપર સન્માનની ભાવના રાખે. સમાનતા કે સમાન લાભના સિદ્ધાંતના આધાર ઉપર એકબીજાના માટે સહયોગ કરે, મદદ કરે તથા વાદ-વિવાદ, ઝગડા વગેરે શાંતિથી તેનો ઉકેલ લાવે. લોકોના દુઃખ દર્દમાં સહાયતા કરે, મદદ કરે અને વિકાસ માટે યોગદાન કરે.
           માનવતાવાદી માનવકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ બીજાના માટે આપી દે છે. જે મનુષ્ય પોતાની અંદર રહેલાં અવગુણો, બુરાઈઓનો સ્વયં પોતે જો નાશ કરે તે માનવ છે.                " હું માનવી માનવ થાઉં તો ઘણો. "
           માનવતાવાદ દયા, પ્રેમ, કરુણા, અહિંસા, પરોપકારની ભાવના, ત્યાગ, બલિદાન, સહનશીલતા, દાનશીલતા, સદ્દભાવના, ચારિત્રવાન અને ધર્મનું આચરણ કરીને વિશિષ્ટ ગુણોથી તે માનવની સર્વશ્રેષ્ટતા બતાવી શકે છે.
               " માનવતા જ એક સાચો ધર્મ છે. "
            નાત જાતના ભેદભાવ વિના મનુષ્યને માનવ તરીકે જોવો જોઈએ. સર્વધર્મ સમભાવની લાગણીઓ હોવી જોઈએ.
- માનવતાવાદના પ્રકારો :
1. ભૌતિક માનવતાવાદ : માનવજીવનનું સંપૂર્ણ અધ્યયન અમુક અંશે તેની ભૌતિકતા ઉપરજ કેન્દ્રિત થયું છે. જેમકે માર્ક્સનું અધ્યયન માત્ર ભૌતિક માનવ છે જેમાં આધ્યાત્મિક બાબતો વિશે કોઈ મહત્વ નથી આપ્યું. માર્કસે માનવજાતિની તમામ ગતિવિધિનું કારણ માત્ર ને માત્ર આર્થિક શક્તિને જ માન્યું છે.
2. આધ્યાત્મિક માનવતાવાદ :રવીન્દ્રનાથ ટાગોર આધ્યાત્મિક માનવતાવાદી હતા. રવીન્દ્રનાથ ટાગોરે માનવતાવાદના સંબંધમાં કહ્યું હતું કે મનુષ્યનું દાયિત્વ મહામાનવ માટે છે. તેની કોઈ સીમા નથી. દેશ કેવલ માત્ર ભૌતિક નથી. દેશ એક કલ્પના છે. માનવ માનવનું મિલન માત્ર દેશ છે. વેદોમાં પણ આવુજ કહ્યું છે. ગૌતમ બુદ્ધ, મહાવીર, કબીર, નાનક, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી જેવા મહાન ચિંતકોએ પોતાના કાર્ય સમાજના તથા મનુષ્યના હિતકાર્ય માટે કર્યા હતા. જેઓએ લોકો માટે પોતાનું વ્યક્તિગત કાર્ય ધ્યાનમાં ના લેતાં સમાજના ઉત્થાન માટે લગાવ્યું હતું. તેઓના મતે ના કોઈ હિન્દુ, ના કોઈ મુસ્લિમ, ના કોઈ ઈસાઈ, ના કોઈ જૈન, ના કોઈ પારસી, ના કોઈ શીખ પરંતુ માત્ર ને માત્ર એક માનવને માનવના સ્વરૂપને દેખે છે.
3. એકાત્મ માનવતાવાદ :પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ચિંતનધારા, વિચારધારામાં તેમની એકાત્મ માનવવાદની એક ઝલક જોવા મળે છે. તેમના અનુસાર વિચારની શરૂઆત માનવથી જ થવી જોઈએ. વ્યક્તિઓના સમૂહથી સમાજની રચના થાય છે. અને જુદા જુદા સમુહોથી ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને જોડીને એક સબળ રાષ્ટ્ર્રનું નિર્માણ થાય છે. માનવ જાતિની એકતામાં તેમને ખૂબજ વિશ્વાસ હતો. માનવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ ચાર પુરુષાર્થો ઉપર ટકેલો છે. તેમને છેવાડાના માનવીનું હિત ઇચ્છયું હતું.
ઉપસંહાર :
             આમ માનવતાવાદની વિચારધારા માત્ર ને માત્ર માનવ કલ્યાણ કરવાની, તેના વિકાસમાં યોગદાન આપવાની અને દરેક વ્યક્તિને માનવ તરીકે જોવો તે જ છે. સૌથી મોટો અને મહાન ધર્મ જ માનવતા છે. સૌનું ભલું કરવું એ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. જીવનમાં સૌથી છેલ્લે આપણી માનવતા જ કામમાં આવવાની છે. આપણા કરેલા કાર્યો જ કામમાં આવવાના છે. બધું જ છૂટી જવાનુ છે માત્ર ને માત્ર આપણી માનવતા ટકી રહેવાની છે.

20 ઑગસ્ટ, 2021

New Education Policy 2020

*BREAKING  NEWS*

 The cabinet has given green signal to the New Education Policy.  After 34 years, there has been a change in the education policy.  The notable features of the new education policy are as follows: 

 *5 Years Fundamental*
 1. Nursery @4 Years
 2. Jr KG @5 Years
 3. Sr KG @6 Years
 4. Std 1st @7 Years
 5. Std 2nd @8 Years 

 *3 Years Preparatory*
 6. Std 3rd @9 Years
 7. Std 4th @10 Years
 8. Std 5th @11 Years 

 *3 Years Middle*
 9. Std 6th @12 ​​Years
 10.Std 7th @13 Years
 11.Std 8th @14 Years 

 *4 Years Secondary*
 12.Std 9th @15 Years
 13.Std SSC @16 Years
 14.Std FYJC @17Years
 15.STD SYJC @18 Years 

 *Special and important things*: 

 *Board will be in 12th class only, college degree of 4 years* 

 *10th board is over* 

 *Now students up to 5th standard will be taught in mother tongue, local language and national language only. The rest of the subject, even if it is English, will be taught as a subject.*

  *Now only 12th board exam will have to be given.  Whereas earlier it was mandatory to give 10th board exam, which will not happen now.* 

 *Examination will be held in the semester from 9th to 12th class.  Schooling will be taught under the 5+3+3+4 formula.*

 At the same time, the college degree will be of 3 and 4 years.  That is, certificate on the first year of graduation, diploma on the second year, degree in the third year.

 *3 year degree is for those students who do not want to take higher education.  Whereas students pursuing higher education will have to do a 4-year degree.  Students doing 4-year degree will be able to do MA in one year*.

 *Now students will not have to do MPhil.  Rather, MA students will now be able to do PhD directly.*

 *There will be no board exam in 10th.*

 *Students will be able to do other courses in between.  The gross enrollment ratio in higher education will be 50 percent by 2035.  At the same time, under the new education policy, if a student wants to do another course in the middle of a course, then he can do the second course by taking a break from the first course for a limited time.*

 *Many reforms have also been made in higher education.  The reforms include graded academic, administrative and financial autonomy etc.  Apart from this, e-courses will be started in regional languages.  Virtual Labs will be developed.  A National Educational Scientific Forum (NETF) will be started.  Please tell that there are 45 thousand colleges in the country.*

 *There will be same rules for all institutions, government, private, deemed.*

 By order :-
 (Honorable Education Minister, Government of India)

કયો એવોર્ડ ક્યારે શરુ કરવામાં આવ્યો તેની યાદી

એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી તેની વિગતવાર માહિતી.

વિશ્વ મચ્છર દિવસ

એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે.
      બ્રિટનના રોનાલ્ડ રોસ નામના એક ડોક્ટર ભારતમાં કોલકાતાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં કામ કરતી વખતે 20 ઓગસ્ટ 1897ના રોજ મેલેરિયાનું કારણ એનાફિલીસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું. આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ મચ્છર દિવસ ' તરીકે ઉજવાય છે.
      ભારત સરકારે વર્ષ 2030 સુધી ભારતને ' મલેરિયા મુક્ત ' બનાવવાની યોજના હાથ ધરી છે.
  - મચ્છરોથી થતી બીમારી  :
1. મેલેરિયાની બીમારી માદા અને એનાફિલીસ મચ્છર કરડવાથી થાય છે.
2. ઇન્સેકેલાઈટ્સની બીમારી ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.
3. ડેન્ગ્યુની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
4. ચિકનગુનિયાની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
5. યલો ફીવરની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
6. ફાઇલેરિયાની બીમારી એડીસ અને ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.