20 ઑગસ્ટ, 2021

વિશ્વ મચ્છર દિવસ

એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે.
      બ્રિટનના રોનાલ્ડ રોસ નામના એક ડોક્ટર ભારતમાં કોલકાતાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં કામ કરતી વખતે 20 ઓગસ્ટ 1897ના રોજ મેલેરિયાનું કારણ એનાફિલીસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું. આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ મચ્છર દિવસ ' તરીકે ઉજવાય છે.
      ભારત સરકારે વર્ષ 2030 સુધી ભારતને ' મલેરિયા મુક્ત ' બનાવવાની યોજના હાથ ધરી છે.
  - મચ્છરોથી થતી બીમારી  :
1. મેલેરિયાની બીમારી માદા અને એનાફિલીસ મચ્છર કરડવાથી થાય છે.
2. ઇન્સેકેલાઈટ્સની બીમારી ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.
3. ડેન્ગ્યુની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
4. ચિકનગુનિયાની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
5. યલો ફીવરની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
6. ફાઇલેરિયાની બીમારી એડીસ અને ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો