17 ઑગસ્ટ, 2021

સ્વ. દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન...

દશરથ માંઝી બિહારના ગહેલુર ગામના વતની હતા. તેમનો જન્મ એક શ્રમિક પરિવારમાં થયો હતો. તેમનું ગામ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું હતું જેથી જરૂરી સાધન સગવડોનો અભાવ રહેતો હતો. એકવાર તેમના પત્ની ફાલ્ગુની દેવી પહાડ પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ જતા મૃત્યુ પામ્યા. તેમને સમયસર સારવાર ન મળી તેનું મુખ્ય કારણ રસ્તામાં આવતો એક મોટો પહાડ હતો જેના લીધે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકાયું. પોતાની પત્નીના મૃત્યુ પછી તેમને નક્કી કર્યું કે આ પહાડની છાતી ચીરીને હું અહીંયા રસ્તો બનાવીશ અને તેમને પહાડ તોડીને રસ્તો બનાવ્યો અને એક ઇતિહાસ બનાવી દીધો અને આપણને એક બોધ આપ્યો કે જીવનમાં જે નક્કી કરીએ છીએ કે સખત પરિશ્રમ અને દ્રઢ મનોબળથી કોઈપણ કાર્ય અઘરું નથી. આવા પરિશ્રમી અને દ્રઢ મનોબળ વ્યક્તિત્વ એવા દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો