22 માર્ચ, 2021

સુવિચાર

ચિંતા આપણો સૌથી મોટો શત્રુ છે. ચિંતા કરવાથી આપણી સમસ્યાનું નિવારણ નહિ આવી જાય પરંતુ તેનાથી કદાચ આપણા મન અને શરીરને અસર જરૂર પહોંચી શકે છે. ભગવાન બુદ્ધે મૃત્યુની ચિંતા કરી હોત તો અંગુલિમાલ પાસે પોહચ્યાં નાં હોત, તેમને ખબર હોવા છતાં તે અંગુલિમાલ પાસે ગયા અને અંગુલિમાલનું જીવન બદલાઈ ગયું. દરેક કર્મને સાક્ષી ભાવથી જોઈને કોઈપણ ચિંતા કર્યા વગર તેને કરીએ તો કદાચ જીવન સારુ જીવી શકાશે. કહેવાય છે ને "ચિંતા ચિતા સમાન હોય છે."



0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો